| નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓનો માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટાડવા તથા આ વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તે હેતુથી નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ નામની યોજના સને ૨૦૦૮-૦૯ થી અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાના મહત્વના પાસાઓ નીચે મુજબ છે. આ યોજના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અનુદાનિત સંસ્થાઓને લાગુ પડશે. |
| |
|
|
|
| જે ઉમેદવાર વર્ષ ૨૦૦૮-૦૯ ધોરણ – ૯ માં સરકારી સ્થાનિક સ્વરાજ્ય અનુદાનિત સંસ્થાઓ સંચાલિત શાળાઓના ઉમેદવારો અભ્યાસ કરતા હોય તેવા ઉમેદવારો એન. એમ. એમ. એસ. ની પરીક્ષા આપી શકશે. સદર ઉમેદવારે ધોરણ-૮ માં ઓછામાં ઓછા ૫૫ ટકા મેળવેલ હોય તેમજ અનુસૂચિત જાતી અને અનુસૂચિત જન જાતિના ઉમેદવારે ધોરણ-૮ માં ઓછામાં ઓછા ૫૦ ટકા મેળવેલ હોય અને તેમના વાલીની વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦/- ની વધુ ન હોય તેવા જ ઉમેદવાર આ પરીક્ષા આપી શકશે. |
|
| |
પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ : |
|
|
| એન. એમ. એમ. એસ. ની પરીક્ષામાં (એમ. એ. ટી.) અને (એસ. એ. ટી.) એમ બે પ્રકારના ટેસ્ટ રહેશે. પ્રત્યેક ટેસ્ટ ૯૦ મીનીટ અને ૯૦ ગુણનો હોય છે જે નીચે મુજબ છે. |
| |
| |
જનરલ મેન્ટલ એબીલીટી ટેસ્ટ (એમ.એ.ટી.) કુલ ગુણ-૯૦ સમય ૧ કલાક ૩૦ મીનીટ |
| |
સ્કોલેસ્ટીક એપ્ટીટ્યુડ ટેસ્ટ (એસ.એ.ટી.) કુલ ગુણ-૯૦ સમય ૧ કલાક ૩૦ મીનીટ સ્કોલેસ્ટીક એપ્ટીટ્યુડ ટેસ્ટમાં નીચેના વિષયો ઉપર બહુ વિકલ્પ પ્રશ્નો પૂછાય છે. (૧) વિજ્ઞાન (બેઝીક સાયન્સ) ગુણ-૩૫ (૨) ગણિત ગુણ-૨૦ (૩) સમાજવિદ્યા ગુણ-૩૫ |
|
|
|
|
|
|
| ઉમેદવાર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાંથી આવેદનપત્રો મેળવી ભરેલા આવેદનપત્રો પોતાની શાળાના આચાર્યશ્રીના સહિ સિક્કા કરાવી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની મારફતે રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલી આપવાના હોય છે. |
|
|
|
|
| પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી પ્રશ્નો બહુ વિકલ્પ પ્રકારના હોય છે. |
|
|
|
|
| પરીક્ષા ફી ધોરણ-૯ જનરલ કેટેગરી માટે રૂ. ૭૦/- અને એસ.સી./એસ.ટી. માટે રૂ. ૫૦/- હોય છે. શાળાએ પરીક્ષા ફીની તમામ રકમ એકત્ર કરી સચિવશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફટ કઢાવી જમા કરાવવાનો હોય છે. |