પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
મુખપૃષ્ટ
અભિપ્રાય
સાઈટમેપ
સંપર્ક
Advanced search
ગુજરાતી
English
પી.ટી.સી. પ્રવેશ
શાખાઓની માહિતી
પી.ટી.સી. પ્રવેશના ફોર્મ નમુનાઓ, નિયમો
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ પરીક્ષા પાસ કર્યા પછી બે વર્ષના પી.ટી.સી. અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે નિયમો
.આ નિયમો ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહ પરીક્ષા પાસ કર્યા પછીના બે વર્ષના પી.ટી.સી. અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવાના નિયમો કહેવાશે.
.આ નિયમો ગુજરાત રાજ્યની પ્રાથમિક શિક્ષણ તાલીમ આપતી તમામ માન્ય સંસ્થાઓને લાગુ પડશે.
.આ નિયમો હેઠળ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેરીટ મુજબ કેન્દ્રીકૃત પ્રવેશ પધ્ધતિ હેઠળ આપવામાં આવશે.
.આ નિયમો હેઠળ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ.
.નીચે પૈકી કોઈ પણ એક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી લેવાયેલ ધો. ૧૨નું ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્રની વિજ્ઞાનપ્રવાહ, સમાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ કે વ્યવસાયલક્ષી પરીક્ષા.
.ગુજરાત રાજ્યમાં આવેલી માન્ય કેન્દ્રીય શાળાઓ/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કે જેની પરીક્ષા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકશન, નવી દિલ્હી દ્વારા લેવાતી હોય તેના ધો. ૧૨ ની ઉપર ૪.૧.૧. માં જણાવ્યા મુજબ પ્રવાહોની પરીક્ષા.
.રાજ્યમાં આવેલી શાળાઓમાંથી વિઘાર્થીઓ કે જે કાઉન્સીલ ઓફ ધી ઈન્ડીયન સ્કુલ સર્ટીફિકેટ એક્ઝામીનેશન નવી દિલ્હી થી ધો. ૧૨ ની ઉપર જણાવેલ પ્રવાહોની પરીક્ષા.
.ઉપરોક્ત ૪.૧ માં જણાવેલ પ્રવાહોની પરીક્ષામાં સૌધ્ધાંતિક (થિયરી) વિષયમાં ઓછામાં ઓછા ૪૫ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.
NEXT