પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી
મુખપૃષ્ટ
અભિપ્રાય
સાઈટમેપ
સંપર્ક
Advanced search
ગુજરાતી
English
યોજનાઓ
ઈડીએન-૭૪ : પ્રાથમિક શાળાના વર્ગખંડોનું રિપેરિંગકામ
ઠરાવ ક્રમાંક : પશઅ-૧૦૦૭/૧૨૩૨/ચ
તારીખ : ૭-૩-૦૮
વંચાણે લીધા : (૧) નિયામકશ્રી પ્રા. શિ. નો તા. ૨૬-૧૦-૦૭ નો પત્ર ક્રમાંકઃ પ્રાશિનિ/ખ-૩/ચાલુ બાબત/ મરામત/૦૭-૦૮/૪૩૮૩-૮૪ (૨) નિયામકશ્રી પ્રા.શિ. નો તા. ૨૯-૨-૦૮ નો પત્ર ક્રમાંકઃ પ્રાશિનિ/ખ-૩/ ન.બા./૦૮/૬૫૩
ઠરાવ :-
  સને ૨૦૦૮-૨૦૦૯ ના વર્ષની બજેટ જોગવાઇને આધીન રહીને નાણા વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્‍ટની મર્યાદામાં રહીને ખર્ચ કરવાનો રહેશે.
  આ યોજના અંગેનું ખર્ચ તા. ૧-૪-૦૮ થી કરવાનો રહેશે.
  આ અંગેનું ખર્ચ સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ જોગવાઇઓ અને લાગુ પડતા ધારાધોરણોને આધિન નિય્‍ત પદ્ધતિથી કરવાનું રહેશે.
  પ્રસ્‍તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધિન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્‍ત બજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે.
  રજુ કરવામાં આવેલ અંદાજોની સક્ષમ કક્ષાએ ખરાઇ કરાવી લેવાની રહેશે.
  સઘળી બાબતો અંગે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણે નિયંત્રણ રાખવાનું રહેશે.
આ અંગેનો ખર્ચ અંદાજપત્રના સદર -૪૨૦૨-૦૧-૨૦૧-૦૫- ઇડીએન-૭૪ હાલની પ્રાથમિક શાળાઓની નવી સજાવટ હેઠળ મંજુર રહેલ ગ્રાન્‍ટમાંથી મેળવવાનો રહેશે.
આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તા. ૩-૩-૦૮ ની નોંધણી મળેલ સંમતિ અન્‍વયે રવાના કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે
  (ડી. જી. ચૌધરી) સેકશન અધિકારી શિક્ષણ વિભાગ.